વ્યાકરણની પરિભાષામાં જે શબ્દ વ્યક્તિ, વસ્તુ, ગુણ, ભાવ કે ક્રિયાનો નિર્દેશ કરતો હોય અને વાક્યમાં કર્તા કે કર્મની જગ્યાએ આવી શકતો હોય તેને ‘ નામ કહેવામાં આવે છે . એને ‘ સંજ્ઞા ’ તરીકે પણ ઓળખાવાય છે . જેમકે, ચેતન, અનિતા, નીલેશ, વિજય ( વ્યક્તિ ) ખુરશી, પલંગ, તપેલી, પંખો ( વસ્તુ ) ખારું, મીઠું, ભલું, બૂરું ( ગુણ ) ખારાશ, મીઠાશ , ભલાઈ , બૂરાઈ ( ભાવ ) રમત, વાચન, ગાયન, વાદન ( ક્રિયા ) ઉપરના શબ્દો વ્યક્તિ , વસ્તુ , ગુણ , ભાવ કે કોઈ ક્રિયાના નિર્દેશક છે એને 'નામ' અથવા ' સંજ્ઞા ' ! તરીકે ઓળખાવી શકાય છે. ટૂંકમાં, પ્રાણીને, પદાર્થને , ગુણને કે ક્રિયાને ઓળખવા માટે જે શબ્દ વપરાય છે તેને ‘ નામ ‘ કહે છે . ‘ નામ ‘ નો પર્યાયવાચી શબ્દ ‘ સંજ્ઞા ‘ છે અને અંગ્રેજીમાં એને Noun કહે છે.